અમદાવાદ-

અમદાવાદી કલાકાર મયૂર વાકાણી કોરોનામાં સપડાયો છે. મયૂર વાકાણી હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મયૂર વાકાણીને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. બાદમાં તેણે કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે સુંદરલાલને કોરોનાના એકપણ લક્ષણ દેખાતા નથી. તે હોમ ક્વૉરન્ટીન થઈ શકતો હતો, પરંતુ આ મામલે મયૂર વાકાણી કોઇ જોખમ ખેડવા માંગતો ન હતો. જેથી તેણે હોસ્પિટલમાં સારવાર લેવાનો નિર્ણય કર્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં મયૂરે કહ્યું કે મારી આસપાસના લોકો મુંબઈમાં શોના શૂટિંગ દરમિયાન તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની સંભાવના વ્યકત કરે છે. જોકે આ વાત પર મયૂરે નકારો કર્યો છે. મયૂરના મતે- તે ગયા અઠવાડિયે મુંબઈ ગયો હતો અને શૂટિંગ કર્યું હતું. ત્યાંથી પરત આવ્યા બાદ તે એકદમ ઠીક હતો. બાદમાં તે અમદાવાદમાં ઘણું જ ફર્યો છું. બની શકે આ દરમિયાન જ તેને ચેપ લાગ્યો હશે. મયૂર વાકાણીએ જલ્દી જ સ્વસ્થ થવાની આશા પણ સેવી છે.