અમદાવાદ-

વડાપ્રધાન મોદી કેવડિયાથી અમદાવાદ સુધી સી પ્લેનનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા બિજલ પટેલે વોટર એરોડ્રામ અને સી-પ્લેનની મુલાકાત લીધી હતી. આ સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રવિવારના રોજ યોજાનારા કાર્યક્રમ અંગેની સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે, 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી સાથે જ ભારતના પ્રથમ સી-પ્લેનનું ઉદ્ઘાટન વડાપ્રધાનના વરદ હસ્તે કરવામાં આવશે. અમદાવાદના મેયરે સી પ્લેન અને વોટર એરોડ્રામની મૂલાકાત લીધી હતી. આ સાથે સી પ્લેનના લેન્ડિંગ અને ટેક ઓફની પણ સમીક્ષા કરી હતી. વડાપ્રધાન 31 ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સુધીનો પ્રવાસ કરવાના છે. ત્યારે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી અને શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બિજલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.