અમદાવાદ-
વડાપ્રધાન મોદી કેવડિયાથી અમદાવાદ સુધી સી પ્લેનનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા બિજલ પટેલે વોટર એરોડ્રામ અને સી-પ્લેનની મુલાકાત લીધી હતી. આ સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રવિવારના રોજ યોજાનારા કાર્યક્રમ અંગેની સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે, 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી સાથે જ ભારતના પ્રથમ સી-પ્લેનનું ઉદ્ઘાટન વડાપ્રધાનના વરદ હસ્તે કરવામાં આવશે. અમદાવાદના મેયરે સી પ્લેન અને વોટર એરોડ્રામની મૂલાકાત લીધી હતી. આ સાથે સી પ્લેનના લેન્ડિંગ અને ટેક ઓફની પણ સમીક્ષા કરી હતી. વડાપ્રધાન 31 ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સુધીનો પ્રવાસ કરવાના છે. ત્યારે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી અને શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બિજલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments