અમદાવાદ-

શહેરના મેટ્રો અધિકારીઓએ 7 સપ્ટેમ્બરથી સેવાઓ ફરીથી શરૂ કરતા પહેલા સ્ટેશન અને ટ્રેનનું શુદ્ધિકરણ શરૂ કરી દીધું હતું. કારણ કે, કોરોના મહામારીના પ્રતિબંધોને અનલૉક-4માં હટાવવામાં આવ્યા હતા.

સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઇ લોકડાઉન બાદ અનલોકના તબક્કામાં મહદ્દઅંશે છૂટછાટ આપવામાં આવી રહી છે. જેના પગલે 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ થઇ રહી છે. પરિણામે અમદાવાદ મેટ્રો સ્ટેશન પર અને ટ્રેનની અંદર સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી.