અમદાવાદ-

અમદાવાદ માં કોરોના સ્પ્રેડ થતાંજ દિલ્હી ની જેમ લોકો કોરોના નો ભોગ ન બને તે માટે અગાઉ થી જ પગલાં ભરી દેતા અને રાતે નવ વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવેલા કર્ફ્યૂને લઈ અમદાવાદ માં 1700 જેટલા લગ્નો રદ કરાયા છે.

માંડ વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થતા જ ફરી કોરોના એ ઉપાડો લેતા હવે સંક્રમણ લાગવાના ભય થી કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં પહેલા જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 એમ કુલ 1700 લગ્નના બુકિંગ હતા જે રદ કરવા પડ્યા છે. જ્યાં લગ્નો હતા ત્યાં આજે મહેમાનો પણ આવી ગયા છે બીજી તરફ પાર્ટી પ્લોટ બુકિંગ થઈ ગયા હતા તે તમામ રદ કરાતા લગ્નો અટવાયા હતા. આમ કોરોના ની ફરી એક વાર લહેર પ્રસરતા હવે લોકો ના સ્વાસ્થ્ય માટે થઇ સરકારે કરફ્યુ લગાવતા લગ્નો અટવાઈ ગયા છે.