અમદાવાદ-

અધિકારીઓ દ્વારા શહેરમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ અધિકારીઓને સાથે રાખીને મંદિરના તોડકામ માટે પહોંચ્યાં હતાં. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. મંદિર તોડવાની કામગીરી શરૂ કરાતાં ધાર્મિક સંસ્થાં અને સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યાં છે. કોઈપણ પ્રકારની વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી. અગાઉ પણ મંદિર તોડવા માટેના 3 વખત પ્રયાસ થયાં છે. ત્યારે પણ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ફરી મંદિર તોડવા માટેની કામગીરી કરાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોના વિરોધ બાદ અધિકારીઓ અસમંજસમાં મૂકાયાં છે. મંદિર તોડવું કે નહી તે મુદ્દે હવે લોકોની લાગણીને ધ્યાનમાં રાખી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે કે નહી તે જોવાનું રહ્યું. અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા માતાજીનું મંદિર તોડવા અને દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવા માટે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યાં હતાં. જેને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશન દ્વારા આ મંદિર ન તોડવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.