અમદાવાદ, અમદાવાદમાં જાતિવિષયક શબ્દો ઉચ્ચારવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી ફરિયાદમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટ દ્વારા બંને આરોપીઓના આગોતરા જામીન ફગાવી દેવાયા છે. અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે બંને આરોપીઅનિલકુમાર શ્રીવાસ્તવ અને પૂનમ શ્રીવાસ્તવની આગોતરા જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે બંને આરોપી અને ફરિયાદી એકબીજાના પાડોશી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આવું લાગતું નથી કે આરોપીઓને ફરિયાદીની જાતિ વિશે જાણ ન હતી. ફરિયાદીમાં બંને અરજદારો પર આક્ષેપ કરાયો છે કે તેમણે જાતિવિષયક શબ્દોનો ઉપયોગ કર્યો છે. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીને હાલ આગોતરા જામીન આપી શકાય નહિ.અરજદાર આરોપીઓના એડવોકેટ તરફે રજૂઆત કરાઇ હતી કે ફરિયાદી દ્વારા એટ્રોસિટી એકટનો દુરુપયોગ કરી બંને અરજદાર સામે ખોટી ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદી અને આરોપી વચ્ચે મૂળ વિવાદ તેમના ઘર વચ્ચે આવેલી દીવાલનો છે જેને ખોટો રંગ આપી દેવામાં આવ્યો હોવાની દલીલ કરી હતી. આ કેસમાં કસ્ટડીયલ તપાસની જરૂર ન હોવાથી આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવે. ફરિયાદી તરફે કોર્ટમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે બંને આરોપીઓ તેને ઘર ખાલી કરાવવા માટે ધમકીઓ ાપી રહ્યા છે. આરોપીઓએ તેમને જાતિવિષયક વાંધાજનક શબ્દો કહ્યા છે અને જાે આગોતરા જામીન આપવામાં આવે તો ભવિષ્યમાં તેમને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ મુદ્દે સરકારી વકીલ સાથે રજૂઆત કરાઇ હતી કે બંને આરોપી સામે એટ્રોસિટી એક્ટની સેક્શન ૩(ઇ)(જી) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેથી કરીને આગોતરા જામીન ન આપવા હુકમ કર્યો હતો.