અમદાવાદ-
શહેરની 2 કંપનીઓએ બેન્કો સાથે 500 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. જે બદલ બંને કંપની વિરુદ્ધ CBI માં ગુનો નોંધાયો છે. જે બાદ CBIએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. મળતી માહિતી મુજબ મેસર્સ વરીયા એન્જીનીયરીંગ વર્કસ પ્રાઈવેટ લિમિટેડ અને મેસર્સ ગોપાલ પોલીપ્લાસ્ટ લિમિટેડ નામની કંપનીએ ઠગાઈ કરી છે. મેસર્સ વરીયાના સંચાલકોએ 2013 થી 2017 દરમિયાન વિવિધ બેન્કોમાંથી લોન તેમજ ક્રેડીટ, ઓવર ડ્રાફ્ટ લઇ સરકારી કમર્ચારીઓની મદદથી દસ્તાવેજોમાં ઘાલમેલ કરીને 452 કરોડનો ઠગાઈ કરી, જયારે મેસર્સ ગોપાલા પ્લોપ્લાસ્ટના સંચાલકોએ 72.55 કરોડની ઠગાઈ આચરી હતી. બંને કંપનીના ડિરેક્ટરોએ બેન્ક ખાતામાં ઘાલમેલ કરીને લોન પ્રોસેસમાં ફેરફાર કરીને કરોડો રૂપિયા લઇ બેન્ક સાથે છેતરપિંડી આચરી છે. જે મામલો બેન્કના ફોરેન્સિક ઓડીટ દરમિયાન સામે આવ્યું હતું, જે બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવતા CBI એ ગુનો નોંધીને બંને વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. ઘર તથા ઓફિસ એમ અલગ-અલગ જગ્યાઓ પર CBI ના દરોડા ચાલુ છે અને કાર્યવાહી થઇ રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments