રાજપીપળા, તા.૨૨ 

નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી વધુ પાણી છોડાતા ડેમની સપાટી ૧૩૭.૪૧ મીટરે પહોચી છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમના ૧૦ ગેટ ૨.૩૩ મીટર ખોલી ૧.૭૬ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.જ્યારે મુખ્ય કેનલમાં ૨૦ હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે

ઉપરવાસ માંથી વધુ પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૨ લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમના કાંઠા વિસ્તારના નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરના ગામો એલર્ટ કરી દેવામાં આવ્યા છે, એ વિસ્તારના લોકોને નદી કિનારે ન જવા કડક સૂચના અપાઈ છે.આવનારા સમયમાં નર્મદા ડેમમાં જો વધુ પાણીની આવક થાય તો હજી વધારે માત્રામાં પાણી નર્મદા નદીમાં છોડાઈ શકે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. સંભવિત પુરની સ્થિતિને પહોંચી વળવા નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા જે તે વિસ્તારના પ્રાંત અધિકારીઓ, ્‌ર્ડ્ઢં, મામલતદાર, તલાટી સહિત અન્ય અધિકારીઓને પૂરતી તૈયારીઓ કરવાની તથા સ્થિતિ પર સતત વોચ રાખવા સૂચનાઓ આપી દેવાઈ છે.હાલ સરદાર સરોવર નર્મદા ડેમના ઝ્રૐઁૐ ના ૫ અને ઇમ્ઁૐ ના ૬ ટર્બાઈન ચાલુ કરી રોજનું કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.હાલની સ્થિતિએ નર્મદા ડેમમાં ૫૩૫૮.૮૦ સ્ઝ્રસ્ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટી ૧૭.૦૫ ફૂટ છે.તો આગામી સમયમાં સપાટી વધી વૉર્નિંગ લેવલ ૨૨ ફૂટ સુધી જાય એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.સરદાર સરોવર જળાશયમાંથી ક્રમશઃ ૪ લાખ ક્યુસેક પાણી છોડવાની જાણકારી નર્મદા નિગમ દ્વારા વડોદરા જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવી છે.શિનોર ડભોઇ અને કરજણ તાલુકાઓના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા અને નદી કિનારાથી દુર રહેવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.વડોદરા જિલ્લામાં નર્મદા નદી શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાઓમાંથી પસાર થાય છે.આ પૈકી કરજણ તાલુકાના પૂરા, આલમપુરા, લીલાઇપુરા, નાની અને મોટી કોરલ તેમજ જૂના શાયર ગામો, ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા અને શિનોર તાલુકાના મઢી દેવસ્થાન,અનસૂયા મંદિર, માલસર અને બરકાલ નર્મદા કાંઠે આવેલા છે.