દિલ્હી-
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ફરી વળી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું સરકારી આંકડા કહે છે. આ દરમિયાન એક વ્યાપારી સંગઠને પણ દેશમાં લોકડાઉન લગાવવાની માંગ કરી છે. ધ કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની માંગ કરી છે. સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કોરોના વાયરસ મહામારીની બીજી લહેર પર કાબુ મેળવવા સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો આગ્રહ કર્યો છે. સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક ઓનલાઈન સર્વેક્ષણમાં ભાગ લેનારા ઓછામાં ઓછા ૬૭ ટકા લોકોએ દેશમાં બગડતી કોરોનાની સ્થિતિને જાેતાં દેશવ્યાપી લોકડાઉન લગાવવા આહ્વાન કર્યુ છે. પ્રવીણ ખંડેલવાલે કહ્યું, જાે દેશવ્યાપી લોકડાઉન શક્ય ન હોય તો કેન્દ્ર જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે રાજ્યોને લોકડાઉન લાદવાકહી શકે છે. દેશભરમાં ૯ હજારથી વધારે લોકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો અને ૭૮.૨ ટકા લોકોએ બીજી લહેર બેકાબૂ બની હોવાનું સ્વીકાર્યું હતું. જ્યારે ૬૭ ટકાથી વધુ લોકોએ દેશવ્યાપી લોકડાઉન પર સહમતિ વ્યક્ત કરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments