ગાંધીનગર-

ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 10 નવેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરાઈ હતી જેમાં ભાજપના તમામ ઉમેદવારોએ 8 બેઠકો પર વિજય મેળવ્યો છે.હવે લાભપાંચમના દિવસે તમામ વિજયી બનેલા ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં વિજય મુહૂર્ત દરમિયાન શપથ ગ્રહણ કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુરુવારે લાભપાંચમના દિવસે 12.39 કલાકે ભાજપના આઠ વિધાનસભા બેઠકના તમામ વિજય ઉમેદવારો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસ ખાતે વિજય મુહૂર્તમાં ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરશે. આ સમયે રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનો પણ હાજર રહેશે સાથે જ રાજ્યકક્ષાના પ્રધાનો પણ ધારાસભ્યો સાથે હાજર રહેશે. તમામ ધારાસભ્યોના શપથ કાર્યક્રમ બાદ ગાંધીનગર ખાતે આવેલ ભાજપ પ્રદેશ જે મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પણ ઉજવણી કરવામાં આવશે આ ઉજવણીમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના સંગઠનના નેતા ઉપરાંત ભાજપ પ્રદેશના પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતા હેઠળ 8 ઉમેદવાર જે પેટા ચૂંટણીમાં વિજયી બન્યા છે તેઓ લાભ પાંચમને ગુરુવારના દિવસે વિજય મુહૂર્તમાં શપથ લેશે.