સુરેન્દ્રનગર-

ધ્રાંગધ્રા શહેરની ધ પીપલ્સ કો ઓપરેટીવ બેંકમાં ડીરેક્ટરોની ચુંટણી છેલ્લા કેટલાક સમયથી પાછળ ઠેલાતી હતી. જેનુ મુખ્ય કારણ કોરોના વાયરસને લીધે અહિ ચુટણી યોજવાની પરવાનગી નહિ મળતા અંતે કોરોના કાળ હળવો થતા પીપલ્સ બેંક ખાતે નવા ડિરેક્ટરોની નિમણુક માટે ચુંટણીનુ આયોજન કરાયુ હતુ. જેમા પેનલના તમામ સભ્યો સામે અન્ય કોઇ વિરોધ્ધ ફોમઁ નહિ ભરતા આ પેનલના તમામ 12 સભ્યો બિન હરીફ વિજેતા થયા હતા. ત્યારે આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ અને 50 મુદ્દા અમલીકરણના ચેરમેન આઇ.કે.જાડેજા, સંજયભાઇ ગોવાણી, પ્રહલાદસિંહ પઢીયાર સહિતનાઓ દ્વારા તમામ બિન હરીફ ડીરેક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા.