વડોદરા-

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના ચૂંટાયેલા સત્તાધીશો પર લાંચ લેવા બાબતે આક્ષેપ કર્યો છે. આ મામલે શ્રીવાસ્તવે આરોપ લગાવતા સમગ્ર શહેરમાં ચર્ચાની ગણગણાટ જોવા મળી રહી છે. વડોદરા ડભોઇમાં આજે ગુરૂવારે કિસાન સૂર્યોદય યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના સંચાલન વિશે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે તેમની ડેરીના તમામ સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં રહીને ડેરીના સત્તાધીશો પાર્ટીને કરી રહ્યાં છે બદનામ કરી રહ્યાં છે.વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના ચૂંટાયેલા પ્રસાશન પર આક્ષેપો કર્યા હતા. આ બાબતે તેમણે કહ્યું હતું કે, ડેરીના તમામ સત્તાધીશોએ ભ્રષ્ટાચાર કર્યો છે. આ બાબતે વડાપ્રધાન મોદીને રજૂઆત કરવામાં આવશે.