અંબાજી-

અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિરને સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણપત્ર પ્રાપ્ત થયુ છે. જેને ગાંધીનગર ખાતેથી આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણપત્ર અંબાજી મંદિર ટ્રસ્ટને અર્પણ કરાયુ હતુ.

આ પ્રસંગે યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપભાઇ ઠાકોર, યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, પ્રવાસન વિભાગના એમ.ડી. મમતા વર્મા તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ગબ્બરનો વિકાસ, ફૂડ અને પ્રસાદ તૈયાર કરવાની રીત, યાત્રાળુઓને રહેવાની સુવિધા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ શ્રેષ્ઠ વહીવટ અને વ્યવસ્થાપન માટે આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.