વડોદરા : શહેરના પાણીગેટ રાજારાણી તળાવ પાસે આવેલા કબ્રસ્તાન નજીક શનિવારે રાત્રે મગર આવી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની જાણ જીએસપીસીએને કરાતાં સંસ્થાના કાર્યકરો તરત જ દોડી ગયા હતા અને ૬ ફૂટના મગરને રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યો હતો.
વરસાદની સીઝનમાં નદી, નાળાં, તળાવોમાં પાણી વધતાં મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જવાની શરૂઆત થઈ છે. શનિવારે રાત્ર જીએસપીસીએ અને વાઈલ્ડલાઈફ એસઓએસ રાજ ભાવસારને પાણીગેટ વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે, રાજારાણી તળાવ પાસે આવેલ કબ્રસ્તાન નજીક મોટો મગર આવી ગયો છે.
આ અંગેની જાણ વન વિભાગના નીતિન પટેલને કરીને સંસ્થાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ૬ ફૂટના મગરને પકડીને વન વિભાગને સુપરત કર્યો હતો. વન વિભાગે મગરના મેડિકલ ચેકઅપ બાદ ફરી સુરક્ષિત સ્થળે નદીમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments