વડોદરા-

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ ૯૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક ૪૩૮૧ પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ ૫૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૩૪૬ દર્દી રિકવર થયા છે અને આજે વધુ ૩ મૃત્યુ જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક ૮૨ થયો છે. વડોદરામાં અત્યારે કુલ ૯૫૩ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૪૩ ઓક્સિજન ઉપર અને ૩૮ વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને ૭૭૨ દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ ૬ દર્દીના મૃત્યુ થયા છે. વડોદરાના આજવા રોડના ૮૫ વર્ષીય વૃદ્ધ, ગોત્રી વિસ્તારના ૭૫ વર્ષીય વૃદ્ધ અને ડભોઇ તાલુકાના ૫૨ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત ડભોઇના ૬૨ વર્ષીય મહિલા, ન્યુ કારેલીબાગમાં સામે આવ્યા હતા.