મુંબઈ-

આગામી તહેવારોના દિવસોમાં જો તમે બહાર જવાનું વિચારી રહ્યા હોય તો  એક સારી ઓફર તમને મળી શકે છે, કારણ કે તમે સસ્તા દરે હવાઇ મુસાફરી કરી શકો છો. સરકારી એરલાઈન કંપની એર ઇન્ડિયાની પ્રાદેશિક એરલાઈન કંપની એલાયન્સ એર તેના મુસાફરો માટે મોટી ઓફર આપવામાં આવી છે. આ ઓફર અંતર્ગત મુસાફરો ફક્ત 999 રૂપિયામાં હવાઈ મુસાફરીની મજા લઇ શકે છે. એલાયન્સ એરની આ ઓફર અંતર્ગત 60,000 સીટો બુક થઈ શકશે, જેની કિંમત 999 રૂપિયા હશે. આ ફ્લાઇટ ની ઓફર દિલ્હી અને જયપુર/પ્રયાગરાજ, હૈદરાબાદ અને બેલ્ગામ, અમદાવાદ અને કંડલા, બેંગલુરુ અને કોચી/કોઝિકોડ રૂટ માટે છે, જેના પર લાભ લઈ શકાશે.

આ સેલ બે દિવસ માટે ખુલ્લો રહેશે જે એલાયન્સ એર દ્વારા આપવામાં આવ્યો છે. આજથી બુકિંગ શરુ થયું છે, જે 15માર્ચ સુધી ચાલશે. 13 થી 15 માર્ચ સુધીના બુકિંગ મુસાફરો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરી શકશે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, એલાયન્સ એર બજેટ-ફ્રેન્ડલી એર ટિકિટ પ્રદાન કરી રહી છે. આનાથી સામાન્ય લોકોને લક્ઝરી ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાની તક મળશે. આ ઓફરનો લાભ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. તાજેતરમાં એલાયન્સ એર અને પ્રાઈવેટ એરલાઇન્સ વિસ્તારાએ નવી ફ્લાઇટ શરૂ કરવાની ઘોષણા કરી છે. સાથે જ એલાયન્સ એરએ દિલ્હી થી દહેરાદૂન થી પંતનગર ફ્લાઇટ પર ફરીથી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.