અમદાવાદ-

હળવદના ધનાળા ગામના પાટિયા પાસે આજે રાત્રીના આશરે 12.30 વાગ્યાની આસપાસ કચ્છમાં  જતા ગઢવી પરિવારને ગોઝારા અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરીવારના ત્રણ સ્વજનો મોતને ભેટયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા 4સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જે એમ્બ્યુલન્સ દર્દીના જીવનને બચાવવા માટે હોય છે તેને જ અકસ્માત નડી જતા એમ્બ્યુલન્સ મોતનું કારણ બની જતા માતમ છવાયો છે.

મોરબી જિલ્લાના હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં આ પરિવાર માંડવીના લયજા ગામના ગઢવી પરીવારના સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ગોઝારા અકસ્માતમા ગઢવી પરીવારના એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જેમાં રામભાઇ નારાયણભાઇ ગઢવી ઉ 35 .રહે.લયજા તાં.માંડવી જી.કચ્છ, ડ્રાઇવર પિન્ટુભાઇ કાનજીભાઇ ઉ 27 ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતકોના પરિવાર જનોનો સંપર્ક સાધવા અને તેઓની ઓળખ કરવા વધુ કવાયત હાથ ધરી છે. અકસ્માતમાં પલ્ટી જનાર એમ્બ્યુલન્સ બુકડો બોલેલી હાલતમાં જોવા મળતા અકસ્માત કેટલો ગંભીર હશે તે જાણવા મળી શકે છે.