દાહોદ

આજરોજ ગોધરા એક્સપ્રેસવે પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આયોજિત ભથવાડા ટોલનાકાના મેનેજર રાજેશ શર્મા, રૂટ મેનેજર અતુલ યાદવ અને દે.બારીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ના સહયોગ થી દે.બારીયા પોલીસ સ્ટેશન ખાતે કોમર્શિયલ વાહન ચાલકો, (ફોર વ્હીલર) ગાડીના લાઈસન્સ ધારકો તેમજ આસપાસના નગરજનો માટે આઇ(આંખ) ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કોમર્શિયલ વાહન ચાલકો તેમજ આસપાસના લોકોએ ભાગ લીધો અને પોતાની આંખોની તપાસ કરાવી જેને નંબર ચકાસી લાભાર્થીને નિશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પનો ઉદ્દેશ આંખોના વધુ પડતાં નંબર હોઈ તેઓની ચકાસણી થાય અને નંબર પ્રમાણે ચશ્મા મળે અને જેનાથી હાઈવે પર અને નગરમાં થતાં અકસ્માતને અટકાવી શકાય અને લોકોની સલામતી માટેના આશય થી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં દિવસભરમાં ૫૮ લોકોએ પોતાની આંખોની તપાસ કરાવી લાભ લીધો હતો.