વડોદરા, તા.૩

૩૨મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બીઆરજી ગ્રૂપ દ્વારા ઊર્મિ સ્કૂલ ખાતે વડોદરામાં ટ્રાફિક નિયમન સંભાળતા ટ્રાફિક જવાનો માટે આંખની તપાસ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. ટીઆરબી, સીડી અધિકારીઓ અને કર્મચારીઓ માટે આંખોની તપાસ કરવાનું સામાજિક કાર્ય બીઆરજી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલ છે, સાથે સાથે કોરોનાકાળમાં શહેરની સરકારી હોસ્પિટલો જે લોહીની અછતથી ઝઝૂમી રહી છે ત્યારે સ્વૈચ્છિક રકતદાન શિબિરનું આયોજન ઊર્મિ સ્કૂલ ખાતે કરવામાં આવેલ હતું. આંખોની તપાસમાં શહેરના પ૦૦થી વધુ ટ્રાફિક જવાનો સાથે પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર પોલીસ વિભાગ દ્વારા બીઆરજી ગ્રૂપના ટ્રાફિક જાગૃતિના કાર્યોમાં યોગદાન બદલ બીઆરજી ગ્રૂપના ફાઉન્ડર ચેરમેન બકુલેશ ગુપ્તાનું પ્રશંસાપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.