અમદાવાદ-

રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો ઉકેલ લાવ્યો છે. અમદાવાદ મહાનગરના બધા જ ઝોનમાં આવેલી ચાર હજારથી વધુ ભાડા પટ્ટાની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે. નિર્વાસીત મિલ્કત ધારકો -દુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન પોતાના નિર્ણય દ્વારા મુખ્યપ્રધાને હલ કરી દીધો છે. 45 વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારોને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડા પટ્ટે આપવાનો નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાને કર્યો છે.

રૂપાણીના આ નિર્ણયને પગલે હવે મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે. CM રૂપાણી આ નિર્ણયના લીધે અમદાવાદમાં 4 હજારથી વધારે ભાડા પટ્ટાની મિલકતોના ભાડૂઆતો હવે કાયદેસરના માલિક બની જશે. જેને કારણે ચાર દાયકાથી આ સમસ્યાનો ઉકેલ આવતાં વર્ષો જૂની આ સમસ્યાનો અંત આવ્યો છે. હવે CM વિજય રૂપાણીના આ નિર્ણય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તૃત નીતિ જાહેર કરવામાં આવશે.