આણંદ-
તહેવારોની સિઝન ચાલી રહી છે. બીજી તરફ કોરોનાના કારણે બજારોમાં ગ્રાહકોનો ઘસરો ઓછો દેખાય રહ્યો છે. જે વેપારીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. તેવામાં ઘણાં વેપારીઓ દ્વારા પૈસા બચાવવા અવનવા નુસખા અજમાવી ટેક્સની ચોરી કરવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે.આણંદમાં પણ આવાજ વેપારીઓને ત્યાં GST વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદના સરદાર ગંજ બજારમાં આવેલા વાશું કોર્પોરેશન નામની પેઢી પર તહેવારોના દિવાસોમાં GST વિભાગે દરોડો કરી સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ ટેક્સની ચોરી કરતા આણંદના વેપારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બીજી તરફ વેપારીને ત્યાં બંધ શટરમાં GST વિભાગે સર્વેની પ્રક્રિયા હાથ ધરી વેપારીના એકાઉન્ટ અને સ્ટોકનું ચેકીંગ હાથ ધર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે .આજ વેપારીઓને ત્યાં અગાઉ GST વિભાગ કાર્યવાહી કરી ચૂકી છે, ત્યારે ફરીથી દિવાળીના દિવસોમાં સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કોઈ મોટી કર ચોરી બહાર આવી શકે તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments