વડગામ, તા.૩૦
પાલનપુર તાલુકાના વગદા નજીક દશામાની મૂર્તિઓનું વિસર્જનથી દશામાની જ અવદશા થવા પામી છે. બનાસકાંઠા જિલ્લા સહીત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શ્રાવણ માસ બેસતા જ (અમાસ) દિવાસાના દિવસથી દશામાની મૂર્તિઓ લાવીને લોકો ઘરે સ્થાપના કરીને ૧૦ દિવસ સુધી ઉપવાસ સાથે વ્રત કરે છે. ત્યારબાદ દસમા દિવસની રાત્રીના જાગરણ કરીને વહેલી સવારથી જ લોકો દશામાની મૂર્તિઓનું નદી,તળાવ, સહીતની જગ્યાએ વિસર્જન કરવામાં આવે છે. હાલમાં કોરોનાની મહામારી અને અનલોક ડાઉન સમયે તંત્ર દ્વારા શ્રાવણ માસમાં યોજાતા મેળાઓ તેમજ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવાનુ બંધ રખાયું છે. દશામા”નું વ્રત કરનાર ભક્તો દ્વારા વગદા નજીક નદીમાં ગંદકી વચ્ચે જ દશામાની મૂર્તિઓનું આડેધડ વિસર્જન કરાતાં દશામાની મૂર્તિઓની અવદશા થવા પામી છે.દશામાની અવદશા જોઇને ધર્મપ્રેમી લોકોમાં રોષ પ્રગટ થઇ રહ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments