સુરત-

સુરતના માંગરોળમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. દલિત સમાજના લોકોએ એકઠા થઈને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. 

મળતી માહિતી મુજબ માંગરોળના તરસાડી ખાતે દલિત સમાજ ના લોકો નો વિરોધ ભભૂકી ઉઠ્યો છે. તરસાડીના આંબેડકર ચોક ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરાતાં દલિત સમાજના લોકો ભેગા થયાં હતા. અજાણ્યા તત્વો દ્વારા ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે. ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અજાણ્યા તત્વોએ મોઢાના ભાગે બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાને લઈ દલિત સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ કૃત્ય કરનાર તત્વો ને ઝડપી તેના ઉપર પોલીસ કાર્યવાહી કરવા દલિત સમાજ ના લોકો માંગ કરી રહ્યા છે. આજ રોજ આના જ વિરોધ માં સુરત આરોગ્ય સમિતિ ના અધ્યક્ષ તેમજ દલિત સમાજ ના આગેવાન કિશોર પાનવાલા સાથે મોટી સંખ્યા માં દલિત સમાજ ના લોકો તરસાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને નુકશાન પહોંચાડનાર ટિકણખોરો ને પકડી થી ઝડપી પોલીસ કાર્યવાહી કરવા માંગ કરી હતી.