ભરૂચ-

અંકલેશ્વર જીઆઈડીસી ભંગાર ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓની અમદાવાદ ખાતેથી ટ્રાન્સફર વોરન્ટથી અટકાયત કરાઈ છે. અમદાવાદ લોકલ ક્રાઈમબ્રાન્ચે તેઓને ઝડપી પાડ્યા બાદ બંનેએ અંકલેશ્વરની ભંગાર ચોરીની કબૂલાત કરી હતી. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ભંગારનો ચોરી કરનાર બે ભંગારિયાઓ અમદાવાદમાં વેપાર કરતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ એલસીબી પોલીસે દરોડા પાડી ભંગાર ચોરીમાં સંડોવાયેલ ફિરોઝ ખાન રસીદખાન પઠાણ અને સોયબ ઈકબાલ કુરેશીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેઓએ અંકલેશ્વરના ભંગાર ચોરીમાં સંડોવાયેલા હોવાનું કબૂલ કર્યું હતું. અમદાવાદ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સંપર્ક કર્યો હતો. જીઆઈડીસી.પોલીસે બંને આરોપીઓની ટ્રાન્સફર વોરન્ટથી અટકાયત કરી ચોરીમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવાની તપાસ હાથ ધરી છે.