વાઘોડિયા. તા.૨૩ 

વાઘોડિયાના ઈશ્વરપુરા ધાડપાડુ ચકચારી ઘટના ૨૮ જાન્યુઆરી૨૦૧૯ મા બની તેનો વધુ એક સાગરીત વાઘોડિયા પોલીસે મઘ્યપ્રદેશથી જડપી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ઘરી છે.

વાઘોડિયાના ઈશ્વરપુરા ગામે ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ ની મઘરાતે લગભગ સાડાબાર વાગ્યાની આસપાસ ધાડ પાડવાની ઘટનાને ૧૪ જેટલા ધાડપાડુએ અંજામ આપ્યો હતો. નટુભાઈ રયજીભાઈ વસાવાના ઘરમા પરિવાર સાથે મિઠી નિંદર માનતા હતા ત્યારે તેમના ઘરને ચારે તરફથી ધાડપાડુએ ઘેરી ખુલ્લેઆમ લુંટ સાથે દહેશત મચાવી હતી.વસાવા પરિવારમા પત્ની, પુત્ર અને દિકરીને મારમારી તેમને પહેરેલ સોના- ચાંદિના દાગીના તેમજ બાજુમા આવેલ તેવોની દુકાનમાંથી રોકડ કુલ મડી ૯૩ હજાર ની ચકચારી લુટ મચાવી હતી. લુંટારુઓએ હાથમા ડંડા તેમજ મારક હથીયારો સાથે ચડ્ડી બંડી ગેંગે લુંટના ગુન્હા સાથે પરિવારને બંઘક બનાવી ઢોરમાર મારમાર્યો હતો. તેવોની બૂમાબૂમ સાંભડી મદદે આવેલ ફળીયાના લોકો પર ધાડપાડુએ સામનો કરતા પથ્થર મારો ચલાવ્યો હતો.પથ્થરમારામા છથી સાત જેટલા ઘવાયા હતા. સ્થાનીક ગ્રામજનોને નાનીમોટી હાથે, પગે, પીઠમા તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.તો એક વૃઘ્ઘને આંખમા પથ્થર વાગતા વૃદ્ધે કાયમમાટે આંખ પણ ગુમાવી હતી.