ગાંધીનગર-
ઔદ્યોગિક સ્તરે હરણફાળ ભરી રહેલા ગુજરાત રાજ્યએ વૈશ્વીક ફલક ઉપર વધુ એક ડંકો વગાડ્યો છે. 1600 કિલોમીટર લાંબો દરિયાઈ વિસ્તાર ધરાવતું આ રાજ્ય વધુ એક ઉપલબ્ધી હાંસલ કરવા જઈ રહ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગરમાં સીએનજી ટર્મિનલ બનાવવાની જાહેરાત કરતાં હવે વિશ્વનું પહેલું સીએનજી ટર્મિનલ ભાવનગરમાં સ્થાપિત થશે.
આ પ્રોજેક્ટ પાછળ પ્રારંભે રૂા.1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. પ્રોજેક્ટ થકી યુવાઓ માટે રોજગારીના અનેક દ્વાર ખુલ્લા થવાની આશાવાદ સેવાઈ રહ્યો છે. આ ટર્મિનલમાં દર વર્ષે 15 લાખ ટન સીએનજું ઉત્પાદન થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એકંદરે એલએનજી અને સીએનજી એમ બન્ને ટર્મિનલ ધરાવતું ગુજરાત વિશ્વનું એકમાત્ર રાજ્ય બની જશે.
આ પ્રોજેક્ટને સાકાર કરવાની જવાબદારી ગુજરાત મેરીટાઈમ બોર્ડ ફોર સાઈટ ગ્રુપ-કોન્સોર્રિયમ (ફોર સાઈટ ગ્રુપ પદ્મનાભ મફતલાલ ગ્રુપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસ)ને સોંપવામાં આવી છે. આ પ્રોેજેક્ટ પૂર્ણ થયા બાદ રૂા.1900 કરોડનું મૂડીરોકાણ આવવાની સંભાવના સેવાઈ રહી છે. આ સીએનજી ટર્મિનલનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યનું સૌપ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ આકાર પામશે.
અહીં દર વર્ષે 15 લાખ ટન સીએનજી ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત દર વર્ષે 45 લાખ ટન ક્ષમતાનું લિક્વિડ કાર્ગો ટર્મિનલ, ક્ધટેઈનર અને વ્હાઈટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું સરકારનું મહત્ત્વાકાંક્ષી આયોજન છે. જ્યારે શિપબ્રેકિંગ-શિપ રિસાઈકલિંગ ઉદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં આ સીએનજી ટર્મિનલ વધુ એક ઉમેરો કરશે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર સીએનજી ટ્રાન્સપોર્ટેશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા ઉભી કરવામાં આવશે. આ ટર્મિનલ કાર્યાન્વીત થઈ જતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો ક્ષમતા 9 મિલિયન મેટ્રિક ટન થશે. આમ ગુજરાત એલએનજી અને સીએનજી બન્ને માટેના ટર્મિનલ ધરાવતું દેશનુ એકમાત્ર રાજ્ય બની જશે.
આ પહેલાં રાજ્યમાં દહેજ અને હજીરામાં એલએનજી ટર્મિનલ કાર્યરત છે ત્યાારે હવે ભાવનગરમાં સીએનજી ટર્મિનલની સ્થાપનાને મંજૂરી આપી દેવાતાં વર્લ્ડ મેરિટાઈમ મેપ ઉપર ગુજરાતના દબદબામાં બમણો વધારો થશે. આ પહેલાં મુખ્યમંત્રી રૂપાણીએ જામનગરના સચાણા પોર્ટને પુન: ધમધમતું કરવા મંજૂરી આપી હતી ત્યારે હવે ભાવનગરમાં સીએનર્જી ટર્મિનલના નિર્માણને મંજૂરી આપતાં સૌરાષ્ટ્રના કદમાં વધારો થશે જેમાં શંકાને કોઈ સ્થાન નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારની જાહોજલાલીને અદ્યતન પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટસથી પુન: ધબધબતી કરવાની મુખ્યમંત્રીની નેમ પણ સાકાર થશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટસ થતી ભાવનાગર સહિતના શહેરોના યુવાઓ માટે લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન તેમજ વેેરહાઉસિંગ ક્ષેત્રે રોજગારીની વિશાળ તક ઉભી થશે.
Comments