વડોદરા-

વડોદરા શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ આવ્યો છે. જેના ખળભળાટ મચી ગયો છે. જ્યારે મનીષાબેન વકીલે સોસીયલ મીડિયા મારફતે કોરોના સંક્રમિતની જાણકારી આપવામાં આવી છે. તેની સાથે તેમને જણાવ્યું છે કે, તેમના સંપર્કમાં આવેલ લોકને રિપોર્ટ કરાવવાની અપીલ કરી છે.

તાજેતરની જાણકારી મુજબ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમને યુએન મહેતા હોસ્પિટલમાં કોરોના સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ અગાઉ ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. તે પણ યુએન મહેતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યારે ૩૦૦૦ થી વધુ કેસે સામે આવી રહ્યા છે. જ્યારે ભાજપની ચિંતામાં વધારો કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે.