અરવલ્લી,તા.૨૩ 

અરવલ્લી જિલ્લામાં ટેટની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓએ સોમવારના રોજ ધારાસભ્ય અનિલભાઈ જોષીયરાને આવેદનપત્ર સુપરત કરાયું હતું. તેમને ટાટની પરીક્ષા પાસ કર્યા બાદ પણ બેરોજગાર રહેવાનો વારો આવ્યો હોવાની રજૂઆત કરી તેઓની શિક્ષક તરીકે તાકીદે ભરતી કરવા રજૂઆત કરી હતી. ધારાસભ્ય જોષીયારાએ ઉમેદવારોની તમામ તકલીફો શાંતિપૂર્વક સાંભળી હતી. તેઓના જણાવ્યા મુજબ આ યુવાનો બેરોજગાર છે અને તેઓ સરકારી નોકરી મેળવવા માટે હકદાર છે. તેઓએ ટાટા પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની રજૂઆત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,શિક્ષણ સચિવ-વિધાનસભામાં પણ તેનો પડઘો પાડવામાં આવશે એવી હૈયાધારણ આપી હતી. વધુમાં તેઓએ કહ્યું કે બેરોજગાર યુવાનોને પૂરતો ન્યાય મળે તેવો પુરેપુરો પ્રયાસ કરીશ.