ઉના,રાજુલાના કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરના રેલવેની જમીનનો કબ્જાે લેવા ૧૬ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેના સમર્થનમાં અને ગીર સોમનાથ જિલ્લાના ઉનાનાં રેલવેના પ્રશ્નો બાબતે ઉનાનાં કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાનીમાં ધરણા કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ઉનામાં ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાનીમાં ઉના-ગીરગઢડા પંથકના કોંગી આગેવાનો અને કાર્યકરોએ પ્રથમ ઉનામાં રેલવે સ્ટેશનના પાટા પર ધરણા પર બેસી “રાજુલામાં રેલવેની જમીન પાલીકાને સોપો.... ઉનાને રેલવે સુવિધા પૂરી પાડો” ના સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવેલ કે, રાજુલા શહેરની મધ્યમાં રેલ્વેની પડતર જમીનમાં બગીચો અને વોક-વે બનાવવા રાજુલા પાલીકા સાથે રેલ્વેએ કરાર કરેલ હોવા છતાં જમીનનો કબજાે ન મળેલ હોવાથી રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર ૧૬ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. પ્રજાના હિતાર્થે ચાલુ કરેલ આંદોલનને અમારો સંપૂર્ણ ટેકો છે.રાજુલા પાલિકાને રેલ્વેની પડતર જમીનનો કબજાે મળે તેવી માંગણી છે. ઉપરાંત ગીર સોમનાથ અને ઉના પંથકના રેલ્વેને લગતા નીચેના મુજબના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા માંગણી છે.જેમાં ઉના રેલ્વે સ્ટેશનની બાજુમાં રેલ્વે ફાટક આવેલ છે જે સાંકડું હોવાના કારણે ટ્રાફિકની સમસીયા રહે છે જેથી આ ફાટકને પહોળું કરવા અથવા ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવી ટ્રાફીક સમસીયા હલ કરી શકાય તેમ છે. ઉનાની બાજુમાં કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દિવ આવેલ છે. હાલ દેલવાડા સુધી રેલ્વે લાઈન છે ત્યારે આ મીટરગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરી દિવ સુધી રેલ લાઈન લંબાવવાથી દિવ ખાતે પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે. જુના સમયપત્રક મુજબ વર્ષોથી અમરેલી-વેરાવળ ટ્રેન બપોરના ૧ કલાકે ઉપડતી અને વેરાવળ-દેલવાડા, અમરેલીથી આવતી ટ્રેનોનું તાલાલા રેલ્વે સ્ટેશન પર સાંજના ૫ કલાકે કોસીંગ થતું હતું. જેનાથી વેરાવળ, ઉના, જુનાગઢ, અમરેલી તરફ જવાનું કનેકશન મુસાફરોને મળતું હતું. ટ્રેન નં. ૧૨૯૪૯ - વેરાવળ-દેલવાડા અગાઉ જૂના સમય મુજન ૪ કલાકે ચાલતી જેનો સમય બદલી નાંખીને વહેલો કરવામાં આવેલ છે. ટ્રેનનો સમય વહેલો થવાથી આ ટ્રેનનો ઉપયોગ કરનાર મુસાફરો, કર્મચારીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિતનાને મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ ટ્રેનના સમયમાં ફેરફાર કરી જૂના સમય મુજબ જ ટ્રેન દોડાવી જરૂરી છે. તેની સ્પીડ વધારી વેરાવળથી દેલવાડા ૯-૩૦ કલાક પહેલાં પહોંચી શકાય તે મુજબનું આયોજન કરવું જાેઈએ. વધુમાં જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ અને વેરાવળ-દેલવાડા-વેરાવળ ટ્રેનો ઘણા લાંબા સમયથી બંધ હોવાથી ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને સામાજીક, આર્થિક, આરોગ્ય વગેરે કામસર જુનાગઢ- વેરાવળ-ઉના ખાતે જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વેરાવળ-કોડીનાર બંધ કરેલ પેસેન્જર ટ્રેન પણ પુનઃ ચાલુ કરવી જાેઈએ. રેલ્વે તંત્ર દ્વારા દેશના વિવિધ રેલ્વે સ્ટેશનોને અપગ્રેડ કરી આધુનિક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ઉના રેલ્વે સ્ટેશનને પણ અપગ્રેડ કરી આધુનિક સુવિધાઓવાળું બનાવવું જાેઈએ. અગાઉ ઉના મુખ્ય રેલ્વે સ્ટેશન હતું તેને બદલીને ઉનાને ફલેગ સ્ટેશન બનાવી દેવામાં આવેલ છે. ઉના એ મુખ્ય સેન્ટર છે ત્યારે ઉનાને પુનઃ મુખ્ય રેલ્વે સ્ટેશન બનાવવું જાેઈએ. કોરોનાના કારણે દેશભરમાં લદાયેલ લોકડાઉનથી સમગ્ર દેશમાં ટ્રેનો મર્યાદિત સંખ્યામાં ચાલુ હતી. ઉના ખાતે આવતી લોકલ ટ્રેનો કોરોના મહામારીના સમયથી આજદિન સુધી બંધ છે. જેના કારણે અપડાઉન કરતા મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે જ્યારે સ્થિતિ ધીમેધીમે પૂર્વવત થઈ રહી છે ત્યારે ઉના અને દેલવાડા ખાતે આવતી લોકલ ટ્રેનો તાત્કાલિક અસરથી કોરોનાની ગાઈડલાઈન મુજબ પુનઃ ચાલુ કરવા માંગણી છે.

ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં એનએસયુઆઇઅને કોંગી કાર્યકરોએ રેલ્વે ટ્રેક પર ધરણાં કર્યા

રાજકોટમાં આજે એનએસયુઆઇ અને કોંગી કાર્યકરો દ્વારા રેલવે ટ્રેક પર બેસી ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં ધરણા કર્યા હતા. આ ધરણામાં કાર્યકરો દ્વારા ભાજપ સરકાર હાય હાયના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ અઘટિત બનાવ બને એ પહેલા જ પોલીસ દ્વારા એનએસયુઆઇ અને કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. રાજુલામાં શહેરની વચ્ચોવચ આવેલી રેલવેની જમીન છેલ્લા ૨૫ વર્ષોથી પડતર પડેલી બિનઉપયોગી જમીનનાં કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માત સર્જાય છે. આ મુદ્દે કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરની માગણી કરી હતી કે, રાજુલામાં રેલવેની બિનઉપયોગી જમીન નગરપાલિકાને ચિલ્ડ્રન પાર્ક, સર્કલ,રસ્તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક,વોક વે, સહિતના વિકાસ કામો માટે જમીન સોંપવામાં આવે. પરંતુ રાજુલા રેલવે વિભાગ દ્વારા નગરપાલિકા ને વિકાસ કાર્યો માટે જમીનનો કબજાે સોંપવામાં ના આવતા અને રસ્તામાં બેરીકેટ ઉભા કરવામાં આવતા ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા છેલ્લા ૧૨થી વધુ દિવસોથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ બનાવ મુદ્દે આજે રાજકોટમાં કોંગી કાર્યકરો દ્વારા ભાજપના સાંસદ અને સ્થાનિક નેતાઓના ઈશારે રાજુલાની જનતાને અન્યાય કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી આ બાબતે સમ્રગ ગુજરાતમા રેલવે રોકોનો કાર્યક્રમ હોવાથી આજે એનએસયુઆઇ ,યુવક કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો ધારાસભ્યના સમર્થનમા અમીનમાર્ગ પાસે રેલવે ટ્રેક પર ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો. જાે કે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરતા ભાજપ સરકાર અને રેલવે વિભાગ હાય હાયના નારા લાગ્યા હતા.