દિલ્હી-

ગુજરાત હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અરવિંદકુમારના નામની ભલામણ કરવામાં આવી છે. રાજયના પુર્વ ન્યાયમૂર્તિ વિક્રમનાથની સુપ્રીમકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત થતા તેમના સ્થાને હવે હાલ કર્ણાટક હાઈકોર્ટમાં ફરજ બજાવતા અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયા છે. સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા દેશમાં 13 હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓની નિયુક્તિ અને બદલી કરવામાં આવી છે. હાલ ત્રિપુરા હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવતા શ્રી વકીલ કુરેજાને રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જયારે રાજેશ જિદાલને અલ્લાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ નિયુક્ત થયા છે તેઓ હાલ કોલકતા હાઈકોર્ટના કાર્યવાહીક મુખ્ય ન્યાયમૂર્તિ છે.