ગાંધીનગર, ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી તરીકે કોંગ્રેસનાં મોવડી મંડળ દ્વારા રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે. આવતીકાલે રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અમદાવાદ આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે કાર્યરત રાજીવ સાતવનું કોરોનાની બીમારીના કારણે નિધન થયું હતું. જેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકેનું પદ હજુ સુધી ખાલી હતું. ગુજરાત વિધાનસભાની આગામી વર્ષે ચૂંટણી યોજાનાર છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે કોંગ્રેસનાં રાષ્ટ્રીય મોવડી મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરી દેવામાં આવી છે. રઘુ શર્મા રાજસ્થાનની અશોક ગહેલોત સરકારમાં આરોગ્ય મંત્રી છે. ગુજરાતનાં પ્રભારી તરીકે નિમણૂક કરાયા બાદ રઘુ શર્મા આવતીકાલે બપોરે અમદાવાદ આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્મા સામે સૌથી મોટો પડકાર આગામી વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માનવામાં આવી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments