અરવલ્લી-

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઝૂમસર ગામના આર્મી જવાન ફરજ દરમ્યાન શહીદ થવાથી ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. જવાનનું મોત મગજની નસ ફાટી જવાથી થયુ હતું. મહારાષ્ટ્રના પુના ખાતે સારવાર દરમિયાન જવાનનું મોત થયું હતું. જવાનનો નશ્વરદેહ વતનમાં લાવવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઝૂમસર ગામના કેવલ બેચરભાઈ પટેલનું ફરજ દરમ્યાન મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ હતી. જવાન 17 વર્ષથી દેશની જુદી જુદી સરહદો પર અને સ્થળોએ ફરજ બજાવી છે. તાજેતરમાં તેઓ અમદાવાદ આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા અને ફરજના ભાગરૂપે મહારાષ્ટ્રના પુના ગયા હતા. આ સમયે તેમનું બ્રેઈન હેમરેજ થતા મગજની નસ ફાટી ગઇ હતી. જેથી સારવાર દરમિયાન શહીદ થયા હતા. મંગળવારે સવારે જવાનનો નશ્વરદેહ વતન ઝૂમસર ખાતે લાવવામાં આવ્યો હતો.આર્મીના અધિકારીઓની ઉપસ્થિતિમાં જવાનની અંતિમક્રિયા ગાર્ડ ઓડ ઓનર સાથે કરવામાં આવી હતી. આ સમયે સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.