સુરત-

કોરોના સંક્રમીત દર્દીઓ અત્યંત જરૂરી ટોસિલીઝુમેબ ઇન્જેકશનના કાફ્રાબજારનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વેસુની મે. સાર્થક ફાર્માને એક વાયલના રૂપિયા ૫૦,૦૦૦ના ભાવ મુજબ ૩ વાયલ વેચાણ કરનાર અડાજણના મે. ન્યૂ શાંતિ મેડિસીનના માલિકની પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. જાેકે આ સમગ્ર ઘટનામાં સાર્થક ફાર્માના સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેને ઝડપી લેવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.

ફુડ એન્ડ ડ્રગ વિભાગે કોરોના સંક્રમીત દર્દીઓના માટે જરૂરી ટોસિલીઝુમેબ નામના ઇન્જેકશનની વેચાણ કિંમત ૪૦,૫૪૫ રૂપિયા હોવા છતા ઉંચા ભાવે વેચાણ કરી કાફ્રાબજાર થતા હોવાનૌ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વેસુની મે. સાર્થક ફાર્માએ છુટક વેચાણનો પરવાનો નહિ હોવા છતા ૪૦,૫૪૫ રૂપિયામાં ટોસિલીઝુમેબ ઇન્જેકશન રૂપિયા ૫૭,૦૦૦માં બિલ વગર વેચાણ કરતા રંગેહાથ ઝડપી પાડયા હતા. સાર્થક ફાર્માના માલિક ઉમા સાકેત કેજરીવાલએ ઇન્જેકશન પાલ ગેલેક્ષી સર્કલ નજીક ગેલેક્ષી એન્કલેવમાં દુકાન નં. યુજી ૧૦માં ન્યૂ શાંતિ મેડિસીનમાંથી એક વાયલના ૫૦,૦૦૦ ના ભાવે ૩ વાયલના રોકડા ચુકવી ખરીદયા હતા.

ફુડ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડેલા કૌભાંડમાં બન્ને ફાર્મા પેઢી ઉપરાંત અમદાવાદની મે. કે.બી.વી. ફાર્મા એજન્સીના અમિત મંછારામણી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસ, સાર્થક ફાર્માના ઉમાબેનના અમદાવાદ ખાતે રહેતા સંબંધી અભિષેક અને અમદાવાદની ધ્રૃવિ ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ સોલંકી અને મુંબઇના ભાવેશ નામની પણ સંડોવણી બહાર આવી હતી.