પ્રખ્યાત સીરિયલ રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. તે ચાહકો માટે કેટલીક પોસ્ટ્સ શેર કરતા રહે છે. હવે તેમણે અયોધ્યાના રામ મંદિર ભૂમિપૂજન અંગે પોતાનો પ્રતિસાદ આપ્યો છે. ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ અને ભૂમિપૂજન વિશે તેમણે ખુશી વ્યક્ત કરી.

અરુણ ગોવિલે ટ્વીટ કરી કહ્યું કે, "ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસની પ્રતીક્ષા સમસ્ત માનવજાત કરી રહી છે." ભૂમિપૂજન સાથે અયોધ્યામાં દિવ્ય યુગની શરૂઆત થશે. જય શ્રી રામ. ''