અમદાવાદ-

તા. 14 જૂન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ તા, 14 જૂને અમદાવાદ આવશે. તેઓ અમદાવાદના આશ્રમ રોડ પાસે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલયનું લોકાર્પણ કરશે. કાર્યાલયના ઉદ્ધાટન બાદ તેઓ પોતાની પાર્ટીના સભ્યો સાથે બેઠક યોજશે. કેજરીવાલની હાજરીમાં કેટલાક મોટા માથા આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આમ આદમી પાર્ટી પોતાનો પગ ગુજરાતમાં મજબૂત કરી રહી છે અરવિંદ કેજરીવાલનું બીજું લક્ષ્ય ગુજરાત વિધાનસભા છે. જેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાત પર પોતાનું વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં ત્રણ દિવસ રોકાવાના છે અને 15 જૂને મંગળવારે ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળવાની છે એવામાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કેજરીવાલ 14 જૂને અમદાવાદ આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને સુરતની સફળતા બાદ હવે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂટણી જીતવા માટે કમર કસી રહી છે.