સુરત, ગુજરાતમાં થોડા સમય પહેલા લગભગ નિયંત્રણમાં આવી ગયેલો કોરોના વાયરસ ધીમે ધીમે ફરી માથું ઉચકી રહ્યો છે. સૂરતમાં સ્થિતિ ધીમે ધીમ વધારે વણસી રહી હોવાથી તંત્ર સાવચેત થયું છે. સુરતમાં શનિવાર અને રવિવારે મોલ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ અગાઉ સૂરતમાં માત્ર રવિવારે મોલ બંધ રાખવાનો આદેશ હતો. કોરોનાના કેસ વધતા આખરે તંત્રએ આ ર્નિણય લીધો છે. હવે અઠવાડિયામાં બે દિવસ શહેરના તમામ શોપિંગ મોલ બંધ રહેશે. સૂરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ફરી એકવાર વધી રહ્યું છે. જેથી સ્થિત વધારે વકરે નહીં અને કોરોનાના સંક્રમણને નાથવા માટે સૂરત તંત્ર દ્વારા ફરી એક વાર મોલ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. હવેથી અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યા વધતા ૨ દિવસ મોલ બંધ રહેશે.આ અગાઉ માત્ર ગત રવિવારે એક દિવસ જ મોલ બંધ કરવાનો આદેશ કરાયો હતો. પરંતુ ૧ સપ્તાહમાં કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્રની કડકાઈ પણ વધી છે.

સુરતની શૈક્ષણિક સંસ્થાઓ બની રહી છે કોરોનાની સુપર સ્પ્રેડર!

સુરત શહેરમાં કોરોના સંક્રમણના કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સુરતની વિવિધ સ્કૂલો અને કોલેજાેમાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા વાલીઓ ચિંતિત બન્યા છે. જ્યારે વહીવટી તંત્ર પણ હરકતમાં આવતા મ્યુનિસિપલ કમિશનરે ૨ સ્કૂલો અને ૧ કોલેજને ૧૪ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સુરતની સૂમુલ ડેરી રોડ સ્થિત સીડી બરફીવાલા કોલેજમાં ૧૦ વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે સંત નામદેવનગર પ્રાથમિક શાળાના ૬ અને સંત નચિકેતા પ્રાથમિક શાળાના ૪ વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ૧૪ દિવસ માટે સ્કૂલ અને કોલેજને બંધ કરવાનો ર્નિણય લેવાય છો.જણાવી દઈએ કે, શહેરમાં છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પણ સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ સુરત શહેરમાંથી સામે આવી રહ્યાં છે. સુરતની શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોના ટેસ્ટિંગ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત મળી રહ્યાં છે.