ડભોઇ

ડભોઇ તાલુકા ના શિક્ષકો ની સહકારી સરાફી મંડળી કે જે છેલ્લા ૭૪ વર્ષ થી કાર્યરત છે.આ મંડળી દ્વારા જે પણ શિક્ષક સભાસદ છે તેઓને ૭ લાખ રૂપિયા સુધી નું ધિરાણ આપવામાં આવે છે.આ મંડળ સભાસદો ને આકસ્મિક સમયે તરત જ આર્થિક સહાય કરતા હોય છે.અને જો કોઈ ચાલુ સભાસદ નું મૃત્યુ થાય ત્યારે સભાસદ કલ્યાણ નિધિ યોજના અંતર્ગત ૬ લાખ રૂપિયા ની આર્થિક સહાય મૃત્યું પામનાર સભાસદ ના પરિવારજનો ને આપવામાં આવે છે. ત્યાંરે કોરોનાકાળ માં મંડળી ના એકટીવ સભાસદ તેમજ કારોબારી સભ્ય સ્વ.ધર્મેન્દ્રકુમાર એસ પટેલ નું અવશાન થયુ હતું. તે અંતર્ગત મંંડળી દ્વારા ડભોઇ તાલુકા ના મામલતદાર જે.એન.પટેલ ના વરદ હસ્તે સ્વઃ ધર્મેન્દ્ર કુમાર ના ધર્મપત્ની પીયુશાબેન ને ૬ લાખ રુપિયા નો ચેક આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે મંડળી ના પ્રમુખ જૈમિનભાઈ પટેલ,ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,મંત્રી કમલબાબુ જોશી, મહેન્દ્રભાઇ, રાજુભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો અને મંત્રીગણ ઉપસ્થિત રહ્યા હતા.