મુંબઇ-

ટેસ્ટ અને પાંચ મેચની ટી-૨૦ સિરીઝ બાદ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. આ તમામ મેચ ૨૩ માર્ચથી પુણેમાં યોજાશે. એવા અહેવાલો હતા કે કોરોના વાયરસને કારણે આ ત્રણ મેચનું સ્થળ બદલી શકાય છે, પરંતુ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પુણેમાં વનડે સિરીઝ યોજવાની મંજૂરી આપી દીધી છે. 

એક રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ખાલી સ્ટેડિયમમાં વનડે સિરીઝ યોજવાની મંજૂરી આપી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, પુણેમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેના કારણે એવી આશંકા હતી કે શ્રેણીનું સ્થળ બદલાઈ શકે છે. જાે કે, આવુ બન્યું નથી. તમને જણાવી દઈએ કે ગુરુવારે પુણેમાં ૧૫૪૨ નવા કોરોના કેસ સામે આવ્યા હતા અને ૮ લોકોના મોત થયા હતા.