જયપુર

યોગગુરૂ બાબા રામદેવ કોરોના સામે લડવા માટેની કોરોનિલ કીટ લોન્ચ કર્યા પછી એલોપેથી દવાઓના નિવેદનને લઇને ચર્ચામાં છે. આ દરમિયાન ડેરી ઉદ્યોગ સંભાળી રહેલા 57 વર્ષિય સુનીલ બંસલનું કોરોના સંક્રમણના કારણે નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. બંસલને જયપુરની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

યોગગુરૂ બાબા રામદેવની સંસ્થા પતંજલિમાં ડેરી વ્યવસાયના સીઇઓ સુનિલ બંસલને કોવિડ-19ના સંક્રમણ બાદ જયપુરની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેની સતત તબિયત વધુ લથડતી રહી હતી.

ડોક્ટર અગ્રવાલના કહેવા પ્રમાણે ફેફસામાં ઇન્ફેક્શન ખૂબ વધી ગયું હતું. જેના કારણે સુનીલ બંસલનું મોત નીપજ્યું હતું.