હાલ અમિતાભ બચ્ચન અને બચ્ચનનો પરિવાર અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્ય બચ્ચન કોરાના સંક્રમણથી ઝઝૂમી રહ્યા છે, તે પૈકી સૂત્રો દ્વારા સમાચાર મળ્યા છે કે હાલ અમિતાભ બચ્ચન ની હાલત માં સુધારો જોવા મળ્યો છે તે પૈકી બચ્ચાને સોસીયલ મીડિયા એકિટવ રહિને ડોક્ટર્સ માટે ભાવભીની કવિતા લખી હતી. 

અમિતાભના સ્વાસ્થ્યને લગતી નવીનતમ માહિતી અનુસાર, તેમની તબિયત પહેલા કરતા સ્થિર અને સારી છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આ સાથે જ અભિષેક બચ્ચનની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે અને તે પહેલા કરતાં વધુ સારું અનુભવી રહ્યો છે. . હાલમાં તેમને અંકુશિત રીતે દવાઓ આપવામાં આવી રહી છે અને તેઓ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, તેમની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચનને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે.

આ કવિતા દ્વારા તેમણે ડોકટરો અને ફ્રન્ટલાઈન કામદારોને ભગવાનનો દરજ્જો આપ્યો છે. અમિતાભ બચ્ચન તેમની સેવાની ભાવના અને સમર્પણ દર્શાવી રહ્યા છે. તે કોરોના પીડિતોને કેવી રીતે ટેકો આપે છે? આ લોકો પોતાને વિશે ચિંતા કર્યા વિના દરેકની સેવા અને સંભાળ રાખે છે. એટલું જ નહીં, અમિતાભ બચ્ચને પોતાની કવિતામાં એમ પણ કહ્યું કે આ લોકો પૂજા સ્થાનો છે અને માનવતાના પડઘા છે.