જૂનાગઢ-

આજથી બરોબર 120 વર્ષ પહેલા જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે તે સમયના ભારતના વાઈસરોય લોર્ડ કર્ઝન દ્વારા કોલેજ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ કોલેજનો નિર્માણ જે તે સમયે 2.50 લાખના ખર્ચે જૂનાગઢના નવાબ રસુલખાન દ્વારા કરાવવામાં આવ્યું હતું. જેનું ખાતમુહૂર્ત 3 માર્ચ 1897ના દિવસે પોલિટિકલ એજન્ટ જે એમ હન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ આજે 120 વર્ષ પૂરા કરીને 121 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. વર્ષ 1900ની ત્રીજી નવેમ્બરના દિવસે જે તે સમયે ભારતના વાઈસરોય લોર્ડ કર્ઝન દ્વારા બહાઉદ્દીન વિનયન કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને જૂનાગઢના નવાબ રસુલખાન દ્વારા અઢી લાખના ખર્ચે બંધાવવામાં આવી હતી જેનું ખાતમુહૂર્ત ત્રીજી માર્ચ 1897ના દિવસે પોલિટિકલ એજન્ટ જે.એમ હંટર દ્વારા કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરતી વખતે કોલેજના બાંધકામને જોઈને લોર્ડ કર્ઝન પણ અચંબામાં મુકાઈ ગયા હતા. આજથી 120 વર્ષ પહેલા શિક્ષણને લઈને ચિંતા કરતા જૂનાગઢના નવાબ રસુલખાને ભાવિ પેઢી શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ કોલેજનું નિર્માણ કરાવ્યું હતું. જેમાં અભ્યાસ કરીને કરોડો વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ પદ પર પહોંચવામાં સફળ રહ્યા છે. જૂનાગઢના નવાબ રસુલખાન દ્વારા અઢી લાખના અનુદાનની માંથી આ કોલેજનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. જેને તેમના વજીર બહાઉદ્દીનના નામ સાથે કોલેજનું નામ જોડ્યુ હતું. કોલેજનું બાંધકામ સ્થાનિક જેઠા ભાગા મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના બાંધકામમાં સિમેન્ટનો એક પણ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને કોલેજની તમામ છત લાકડામાંથી બનાવવામાં આવી છે. જે આજે 120 વર્ષ બાદ પણ જેમની તેમ જોવા મળે છે. કોલેજમાં આયોજિત કાર્યક્રમ માટે સેન્ટ્રલ હોલ બંધાવવામાં આવ્યો હતો. જેમાં 52 જેટલા દરવાજા અને બારીઓ બનાવવામાં આવી છે. જે આજે પણ એશિયામાં પ્રથમ જોવા મળે છે.