અમદાવાદ-

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસો 1 હજારથી વધુ નોંધાઈ રહગ્યાં છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે લોકમેળા, પદયાત્રા, તાજીયા પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્ય સરકારના પ્રતિબંદ બાદ ચાલુ માસમાં આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, તરણેતરનો મેળો, મોહરમ, ગણપતિ ઉત્સવ, ભાદરવી પૂનમનો મેળો સહીતના તમામ તહેવારો અને લોક મેળાઓ નહિ ઉજવાય.

રાજય સરકાર દ્રારા નિર્ણય કરી દેવામાં આવ્યો છે. જેની જાહેરાત રાયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્રારા કરવામાં આવી છે. આગામી ઓગસ્ટ મહિનામાં આવી રહેલા ધાર્મિક વહેવારો કોરોનાથી મહામારીમાં ઘરે જ રહીને ઉજવવા રાય સરકાર દ્રારા અપીલ કરવામાં આવી છે. ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા વડોદરા ખાતેની મુલાકાત દરમ્યાન આ જાહેરાત કરતા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની સરકારને ૪ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

આગામી દિવસોમાં આવી રહેલા વિવિધ તહેવારો જેવા કે જન્માષ્ટ્રમી, ભાદરવી પુનમનો મેળો, તાજીયા તેમજ ગણેશોત્સવ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરના મેળા વગેરે મેળા પણ પ્રતિબધં મૂકવાનો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીમાં લોકો પોતાના ઘરે રહીને જ ઉજવણી કરશે તો કોરોનાની મહામારી વધતી અટકાવી શકાશે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો પર પ્રતિબધં લગાવવા મુદ્દે અનેક રજૂઆતો ધ્યાન પર આવી હતી. જેને લક્ષમાં લઇ આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ગૃહરાયમંત્રી પ્રદીપીસહં જાડેજાએ જણાવ્યું છે. આ તમામ તહેવારો લોકો ઘરમાં રહીને જ ઉજવણી કરશે તો કોરોનાની મહામારીને નાથવામાં સરકારને મદદ મળશે.