અંબાજી-

કોરોના મહામારી ને લઈ થયેલા લોકડાઉન ના 11 મહિના બાદ ફરી એકવાર આજ 18 ફેબ્રુઆરી થી અપર પ્રાયમરી ની શૈક્ષણિક સંસ્થાઓ ધમધમતી થઇ છે સરકાર દ્વારા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આજથી શાળાઓ માં શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું છે અંબાજી પંથક ની અપર પ્રાયમરી માં ધોરણ છ થી આઠ ના વર્ગો માં શિક્ષણ કાર્ય શરૂ કરાતા શાળા ના પ્રાગંણ માં વિદ્યાર્થીઓ ની ચહલ પહલ જોવા મળી હતી. જોકે સકકાર ની એસ ઓ પી પ્રમાણે વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવા પૂર્વે શાળા વર્ગો ને સૅનેટાઇઝ કરાયા હતા ને ત્યાર બાદ વિદ્યાર્થીઓ ને માસ્ક સાથે સૅનેટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો વર્ગ ખંડ માં પણ એક બેન્ચ ઉપર માત્ર એક વિદ્યાર્થી બેસાડી કોવિડ-19 ના નિયમ અનુસાર સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ફરી એક વાર શિક્ષણ કાર્ય શરૂ થયું હતું આજે શિક્ષણ કાર્ય ના પ્રથમ દિવસ થીજ શિક્ષકો એ પણ નિયમ મુજબ ના અભ્યાસક્રમ ભણવાની શરૂઆત કરી હતી નવા શિક્ષણ કાર્ય ના પ્રથમ દિવસે શાળા માં વિદ્યાર્થીઓ ની માત્ર 30તી 40 ટકા જેટલી જ હાજરી જોવા મળી હતી ખાસ કરી ને વિદ્યાર્થીઓ ને વાલી ની સંમતિ માટે ના પત્રો સાથે જોવા મળ્યા હતા શાળા ના આચાર્ય સંગીતા દેવી કુશ્વાહ દ્વારા જણવામાં આવ્યું હતું કે બાળકો ઘરે કંટાળ્યા હતા ને આજથી શાળાઓ શરુ થતા વિધ્યાર્થીઓ માં ખુશી જોવામલી રહી થે ને સરકાર ગાઈડ લાઈન પ્રમાણે બાળકોને પ્રવેશ આપવામાં આપવામાં આવ્યો છે એટલુજ નહી વાલીઓ ના મતે બાળકો ને ઓનલાઈન શિક્ષણ મળતુ હતુ પણ ઈન્ટરનેટ ના પ્રશ્ને બાળકો ભણી શકતા નહતા પણ સકરારે આજથી શાળાઓ સરુ કરી ને બાળકોના હીત માં પગલુ ભર્યુ છે જે સારી બાબત છે.