બારડોલી -
સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર બાલકૃષ્ણ ઉર્ફે ભાણાભાઈ પાટીલનું આજરોજ વહેલી સવારે કોરોનાથી મોત નીપજયું હતું. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સુરતની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ છ દિવસથી સારવાર હેઠળ હતા. કોરોનાથી તેમનું મોત નિપજતા બારડોલી નગર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બારડોલી નગરમાં વોર્ડ નંબર-1 ની ચુટણી વિજેતા થયેલ ભાજપના કોર્પોરેટર આયુષ પટેલ વિદેશમાં સ્થાયી થતાં વોર્ડ નંબર-1 માં પાલિકાની ખાલી પડેલ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ ઉર્ફે ભાણાભાઈ પાટીલ વિજેતા બન્યા હતા. તેઓ વામદોત હાઈસ્કૂલમાં સભ્ય હોય સાથો સાથ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન હતા. તેઓ અનેક શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા હતા. તેઓની તબિયત બગડતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને કોરોનાના લક્ષણો દેખાતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સુરતની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ છ દિવસથી સારવાર હેઠળ હતા. જોકે આજરોજ સવારના 7 કલાકે તેમનું કોરોનાથી મોત નીપજયું હતું. આ સમાચાર મળતા જ બારડોલી નગર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments