વડગામ : વડગામ તાલુકાના ડાલવાણાના ખેડૂતને જિલ્લાનો બેસ્ટ આત્મા એવોર્ડ મળ્યો હતો. જલોત્રા ખાતે યોજાયેલ સાત પગલાં અંતર્ગત ખેડૂત કાર્યર્ક્મમાં શ્રમ અને રોજગાર મંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો.વડગામ તાલુકાના ડાલવાણા કાંતીભાઈ પરમારને દિવેલાની ઓર્ગેનિક સફળ ખેતી કરવા બદલ જલોત્રામાં યોજાયેલા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનામાં બેસ્ટ જિલ્લા આત્મા ફામર્સ એવોર્ડ મંત્રી શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દિલીપ કુમાર ઠાકોરના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરીને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના અને ખેડૂતલક્ષી અનેક યોજનાની સુંદર માહિતી આપાઇ હતી.