ભરૂચ-

ભરૂચ જિલ્લાના નેત્રંગ પાસે ધાણીખુટ અને થવા ગામની વચ્ચે એક બેકાબૂ ટ્રકે ત્રણ બાઈકને અડફેટે 5 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઈજાગ્રસ્તને નેત્રંગ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ભરૂચના ઝઘડિયામાં નેત્રંગના ધાણીખૂંટ ગામે એક બેકાબૂ ટ્રકે ત્રણ જેટલા બાઇકસવારોને ટક્કર મારી હતી. બાદમાં આ બેકાબૂ ટ્રક પણ પલ્ટી મારી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જેને પગલે નેત્રંગના ધાણીખૂંટ ગામે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસ અને 108ની ટીમને ફોન કર્યો હતો. આ દરમિયાન લોકોએ ટ્રકનો કાટમાળ હટાવાની કોશિશ પણ કરી હતી. જેમાથી બે યુવકો મૃત મળી આવ્યા હતા.