ભાવનગર-

ભાવનગરમાં એલ.આઇ.સી.ના નામે એક મહિલા સાથે રૂ.4.16 લાખની ઠગાઇ કર્યાની બે શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. બનાવની વિગતો એવી છે કે શહેરનાં ચિત્રા-સિદસર રોડ પર રહેતા વિલાસબેન પ્રવિણભાઇ રાઠોડ એ શહેરનાં વાઘાવાડી રોડ રાધા મંદિર પાસે રહેતા નરેશભાઇ નારાયણભાઇ વ્યાસ અને પ્રકાશ નારાયણભાઇ વ્યાસ સામે એવી ફરીયાદ નોંધાવી છે કે તેણીને અક્ષરજ્ઞાન ન હોવાનું જાણી આ બંને શખ્સો એ પોતે એલ.આઇ.સી.ના એજન્ટ હોવાનું કહી દાગીના ગીરવે મુકાવી એલ.આઇ.સી.નાં પ્રીમીયમના નામે રૂપિયા 41670ર નો મુદામાલ લઇ જઇ પરત નહિ કરી ઠગાઇ આચરી વિશ્વાસઘાત કર્યો હતો.સ આ અંગે વિલાસબેની ફરીયાદ નોંધી ડી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.