ગાંધીનગર-

ભૂમાફિયા સામે કડક હાથે કામ લેવા મુખ્યમંત્રી રૂપાણીએ આખરે નિર્ધાર કરી લીધો છે. રાજ્યમાં હવે મિલકત તબદીલી માટે દસ્તાવેજ નોંધણીના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. દસ્તાવેજ નોંધણી કાયદામાં મહત્વના સુધારા કરાશે. ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજીસ્ટ્રેશન ઍક્ટ લાવવામાં આવશે. હવે રાજ્યમાં ખોટા નામે કોઈની જમીન પચાવી પાડી બીજાને વેચનારા સામે કડક કાર્યવાહી થશે. જેથી દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી બનાવાશે. ભૂમાફિયા મિલકત હવે છેતરપિંડીથી હડપ કરી શકશે નહીં. નાગરિકો જાતે જ ઓનલાઈન દસ્તાવેજ નોંધણી રજૂ કરી શકશે. વકીલ – દસ્તાવેજ લખનારની મદદની પણ જરૂર નહીં પડે. ભળતી વ્યક્તિ દસ્તાવેજ નોંધણી નહીં કરાવી શકે. આ કાયદાથી દસ્તાવેજ બનાવવાના ખર્ચ, સમયની બચત થશે.

ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વોની હવે ખેર નથી. કારણ કે લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજાેથી જમીન પચાવી પાડવી-પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજાે સામે હવે કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીએ અડગ નિર્ધાર કર્યો છે. મિલકતની તબદીલી માટે થતા દસ્તાવેજાેની નોંધણી માટેના કાયદો ભારતીય નોંધણી. અધિનિયમ 1908માં મહત્વના સુધારા સૂચવતું ગુજરાત સુધારા વિધેયક 2020 પાસ કરવામાં આવશે. ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજિસ્ટ્રેશન એકટ 1908ની કેટલીક જાેગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત સુધારા વિધેયક-2020 વિધાનસભામાં મૂકાયું છે તે આગામી વિધાનસભા સત્રમાં મંજૂર કરી કાયદો બનશે. જેથી હવે ભૂ માફિયાઓ મિલ્કત ધારકોની મિલ્કત છેતરપીંડીથી હડપ નહિ કરી શકે.

આગામી વિધાનસભા સત્રમાં મંજૂર કરી કાયદો બનશે. દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી-સરળ-ચોકસાઇપૂર્ણ બનાવાશે. ભૂ માફિયાઓ મિલ્કત ધારકોની મિલ્કત હવે છેતરપિંડીથી હડપ કરી શકશે નહીં. મિલ્કત ધારકોના-સામાન્ય માનવીના-ખેડૂતના હક્કોના રક્ષણ માટે મુખ્યમંત્રીએ પ્રતિબદ્ધતા દર્શાવી છે. સામાન્ય નાગરિક જાે ઇચ્છે તો કોઇ વકીલ-દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે. ભળતી વ્યકિત-ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહિ કરાવી શકે.

આ બિલ આવવાથી રાજ્યમાં ઇલેકટ્રોનીક માધ્યમથી દાબ-દબાણ કે છેતરપીંડીથી દસ્તાવેજ પર રોક લાગશે. દસ્તાવેજ બનાવવાના ખર્ચ-સમયની પણ બચત થશે. દસ્તાવેજ નોંધણી માટે રજુ કરતી વખતે પોતે મિલ્કત માલિક હોવાના આધાર-પુરાવા રજુ કરવા પડશે. પરંતુ જાે ખોટી વિગતો આપનાર-પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર-દાબ-દબાણથી-છેતરપીંડીથી દસ્તાવેજ કરનારને 7 વર્ષની કેદ-મિલ્કતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે. આ બિલથી સાચા મિલ્કત માલિકની ઓળખ સરળ બનશે. સરકારી-જાહેર સંસ્થાની-શૈક્ષણિક સંસ્થા-ધર્માદા ચેરિટેબલ ટ્રસ્ટની મિલ્કત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી આવશ્યક બનાવી દેવાઈ છે.