દિલ્હી-

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની વચ્ચે કોરોનાનું સંકટ વધી રહ્યું છે. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી કોરોના પોઝેટીવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને પટનાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુશીલ મોદીએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી હતી. 

સુશીલ કુમાર મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ કોરોના વાયરસ પોઝેટીવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, તે ઠીક છે પરંતુ બે દિવસથી શરીરનું તાપમાન અમુક હદ સુધી વધી ગયું છે. જે બાદ હવે તેમને પટનાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ અભિયાનમાં પરત આવશે. બિહારમાં સુશીલ મોદી પહેલા ભાજપના કેટલાક અન્ય નેતાઓ પણ કોરોના વાયરસની પકડમાં આવી ગયા છે. બીજેપીના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શાહનવાઝ હુસેન પાછલા દિવસે કોરોના પોઝેટીવ જોવા મળ્યા હતા. જે બાદ રાજીવ પ્રતાપ રૂડી, મંગલ પાંડેએ પોતાને અલગ રાખ્યા હતા.

બિહારમાં પહેલા તબક્કાના મતદાનને હજુ એક અઠવાડિયા બાકી છે, 28 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં, બિહાર ભાજપ માટે આ મોટો ફટકો છે, કારણ કે ઘણા નેતાઓ સતત અલગ રહે છે. આવી સ્થિતિમાં ભાજપના પ્રચાર અભિયાનને અસર થઈ શકે છે.