વડગામ : વડગામ તાલુકા માં છેલ્લા કેટલાક સમય થી ટ્રકના ચાલકો બેફામ બનીને ટ્રક હંકારતા હોવાથી અવાર નવાર અકસ્માત સર્જતા રહ્યા છે. વડગામ થી ખેરાલુ જવાના નેશનલ હાઇ-વે ઉપર આવેલા વડગામ નજીક આવેલા આંબેડકરનગર પાસે ગુરુવારની રાત્રીના સમયે ટ્રકના ચાલકે બાઈકને અડફેટમાં લેતાં બાઇક ચાલક ટ્રક નિચે આવી ગયો હતો.જેને ગંભીર ઇજાઓ થવા પામી હતી. તાત્કાલિક ૧૦૮ ને જાણ કરાતાં તાબડતોબ ૧૦૮ વાનના પાયલોટ પરથીભાઇ ચૌધરી તથા ઇએમટી સામંતસિંહ સોલંકી દ્વારા ઘટના સ્થળે દોડી આવીને ગંભીર રીતે ઘવાયેલા યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો જ્યાં આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સૂત્રોએ પાસેથી જાણવા મળ્યું હતું.જયારે આ યુવક ગયા ગામનો છે તે જાણવા મળ્યું નથી આ અંગે વડગામ પોલીસ મથકે પુછપરછ કરતા પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે હજુ સુધી પોલીસ મથકે કોઈ જ જાણ થઇ નથી તેમ કહી ને વડગામ પોલીસએ માથે થી ખભે કર્યુ હતું.